બારડોલી ખાતે જમીન અને પાણીના પૃથ્થકરણ માટે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત

રિપોર્ટ ,મયુર પટેલ

મદદનીશ ખેતી નિયામકની કચેરીમાં ખેડૂતો પોતાના ખેતરની માટી અને પાણીના નમુનાની ચકાસણી કરાવી શકશે

સુરત જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે બારડોલી અંલકાર સિનેમાની બાજુમાં, તેન રોડ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરવામાં આવી છે. જેમાં માટી અને પાણીના નમુનાનું પ્રુથ્થકરણ થઈ શકશે. જે કોઈ ખેડૂત ખાતેદાર પોતાની ખેતીની માટી,પાણીના નમુનાની ચકાસણી કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી માટી-પાણીનો નમુનો એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, અંલકાર સિનેમાની બાજુમાં, તેન રોડ, બારડોલીની કચેરીએ પહોંચતા કરવાના રહેશે.
માટી અને પાણીના નમુનાની ચકાસણી માટે સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની ફી મુખ્ય તત્વો (રૂ.૧૫), સુક્ષ્મ તત્વો (રૂ.૧૫) અને પાણીના રૂ.૧૫ પ્રતિ નમુના લેખે કચેરીએ ભરવાના રહેશે. ત્યારબાદ નમુનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. જમીન પાણીના નમુના લેવાની પદ્ધતિ અને એ બાબતે સંપૂર્ણ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી-ખેતીનો સંપર્ક કરી શકાશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *