
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારે તેના સફળ ૯ વર્ષ પૂર્ણ કરી સેવા, સુશાસન થકી છેવાડાના માનવીનું કલ્યાણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.આ વિશેષ અભિયાન અંતર્ગત પ્રભુદ્ધ નાગરિક સંમેલન અને વેપારી સંમેલન નું આયેાજન આહવા આંબેડકર ભવન ખાતે કરવામાં આવેલ હતુ

જે કાર્યક્રમ માં પૂર્વ ધારાસભ્યશ્રી ભરૂચ વિધાનસભા દુષ્યંતભાઈ પટેલ, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્યશ્રી ડાંગ વિજયભાઈ પટેલ, ડાંગ ભાજપા પ્રમુખશ્રી કિશોરભાઈ ગાવિત , ડાંગ ભાજપા મહામંત્રી હરિરામભાઈ સાવંત, રાજુભાઈ ગાવિત, દિનેશભાઈ ભોયે, આહવા મંડળ પ્રમુખ શંકરભાઈ, મહામંત્રી સતિષભાઈ, બક્ષીપંચ મોરચા પ્રમુખ વિશ્વનાથ ભાઈ, આહવા તાલુકા યુવા પ્રમુખ જીગરભાઈ, વેપારી સેલના સંયોજક શિલ્પેશ ભાઈ, વઘઇ મંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ વઘઇ વઘઇ વેપારી આગેવાન સુભાષભાઈ વેષ્ણવ પ્રભુદ્ધ નાગરીકો અને વેપારી મિત્રો, તેમજ ડાંગ ભાજપાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા.