ગાંધીનગરના ઈન્ચાર્જ આદરણીય કૈલાશ દીદીજીના આદેશ મુજબ સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ યોજાયો

ગાંધી જયંતિ નિમિત્તે, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશવ્યાપી શ્રમદાનની હાકલ હેઠળ, બ્રહ્મા કુમારીઝ સેક્ટર ૨૮, ગાંધીનગરના ઈન્ચાર્જ આદરણીય કૈલાશ દીદીજીના આદેશ મુજબ સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ તળે સહ-ઈન્ચાર્જ બી.કે.જુગનુ દીદી, બી.કે. ક્રિપલબેન, બી.કે.પારૂલબેન, બી.કે. મનીષાબેન, બી.કે.ભરતભાઈ, બી.કે.નિર્મલભાઈ ખાસ આમંત્રિતો તરીકે, ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 (સેક્ટર 24, 27, 28) ના કોર્પોરેટર સોનાલીબેન પટેલ, અધિકારી ઉરેનકુમાર પટેલ, સવજીભાઈ સોલંકી, બાબુભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો સાથે ગાંધીનગર સેક્ટર-૨૮ ના પ્રખ્યાત પાર્ક-જાહેર બગીચામાં ૧/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે ‘ભારત માતા કી જય’ના નારા સાથે વિશેષ શ્રમદાન-સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના વિચારો, વડાપ્રધાનની સ્વચ્છતા ચળવળ અને સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પૂર્વ મુખ્ય પ્રશાસક બ્રહ્મા કુમારીઝ દાદી જાનકીજીએ આપેલા યોગદાનને ખાસ યાદ કરવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *