સાંકળચંદ પટેલ યુનિવર્સીટી ખાતે મતદાર સુધરણા સેમિનારમાં 200 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને ગુજરાત સરકારના સહયોગથી યુવાનો માટે ચૂંટણી જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું. સેમિનારમાં મતદાનનું મહત્વ, ચૂંટણી પ્રક્રિયા, મતદાર નોંધણી અને આપણા રાષ્ટ્રના લોકશાહી ભવિષ્યને ઘડવામાં નાગરિકોની ભૂમિકા સહિત ચૂંટણીના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માને છે કે માહિતગાર મતદારો એ સમૃદ્ધ  લોકશાહી માટે મૂળભૂત છે. આ સેમિનારનું આયોજન કરીને, નાગરિકોને તેમના અધિકારો અને જવાબદારીઓ વિશે જરૂરી માહિતી સાથે સશક્તિકરણ કરવાનો, ચૂંટણી દરમિયાન માહિતગાર નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. સરકારી સંસ્થા તરફથી ઇલાબેન ઉપાધ્યાય, મામલતદાર વિસનગર , ફાલ્ગુનભાઇ પરમાર, મેઘનાબેન પરમાર નાયબ મામલતદાર વિસનગર હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને મતદાન અંગે પ્રોત્સાહિત કર્યા હતા, તેઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં જ ફોર્મ ભરીને નવા મતદાન કાર્ડ આપવાની વ્યવસ્થા કરેલી. આ સેમિનાર બાદ 150 થી વધુ વિદ્યાર્થીઓ તેમના નવા ચૂંટણી કાર્ડ માટે આવેદનપત્ર  ભરેલ.

યુનિવર્સિટીમાંથી મૂળભૂત વ્યવસ્થા અને સંદેશાવ્યવહાર ડો. અભિજીતસિંહ જાડેજા ડીન સ્ટુડન્ટ્સ અફેર્સ, ડો. રાકેશ પટેલ ડાયરેક્ટર સ્પોર્ટ્સ દ્વારા પૂર્ણ કરવામાં આવી. સરકારી અધિકારીઓ તેમજ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી, વાઇસ ચાન્સેલર ડો. પી.એમ. ઉદાણી અને યુનિવર્સિટિ  પ્રમુખ શ્રી પ્રકાશ પટેલ સર દ્વારા આવી  યુવાજાગૃતિ , સામાજિક અને સામુદાયિક સેવાની પ્રશંસા કરવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *