શ્રાવણ માસમાં ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તિનો માહોલ

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલકુમાર રાવ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરી પૂજન-અર્ચન કર્યું

પાટણા ખાતે નર્મદા નદીના કિનારે આવેલા પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર સમાન શ્રી ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથની મહાપૂજા તથા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાવન પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી નીલકુમાર રાવ સહિત મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે ભગવાન શિવનું પૂજન-અર્ચન કરી શ્રદ્ધાળુઓએ મહાદેવના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરી હતી.

શ્રાવણ માસના પવિત્ર અવસરે યોજાયેલા મહાપૂજા અને લઘુરુદ્ર યજ્ઞથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ છવાઈ ગયું હતું. શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરી પરિવાર તથા સમગ્ર સમાજના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી.

નર્મદા કિનારે આવેલા પૌરાણિક ચંદ્રકાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તોની વિશેષ અવરજવર જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ દ્વારા મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન સાથે ધાર્મિક વાતાવરણ વધુ ગાઢ બન્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *