રિપોર્ટ રાકેશ ક્ષત્રિય, અમદાવાદ
ગુરુપૂણિઁમા ના પાવન અવસરે વન અને આદિજાતિ વિભાગના રાજ્ય કક્ષા નાં મંત્રી માનનીય શ્રી રમણભાઈ પાટકર નાં ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના પુનાટ ગામ સ્થિત શ્રી અખંદાનંદજી આશ્રમ નાં સંતશ્રી અખંદાનંદજી, ગુરુમાતા જયાનંદજી, વાપી-સલવાવ ખાતે આવેલ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળના સંતશ્રી કપિલસ્વામીજી નાં ચરણસ્પર્શ કર્યા અને આશીર્વાદ મેળવ્યાં. ગાયનાં છાણ અને ગૌમૂત્ર માંથી ઉત્પાદિત “ગૌ તીર્થોદક પંચગવ્ય ઔષાધાલય” નું માનનીય મંત્રીશ્રી રમણભાઈ પાટકર સાહેબ નાં વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સંતશ્રી કપિલસ્વામીજી, માનનીય મંત્રી શ્રી રમણભાઈ પાટકર તથા સંતશ્રી અખંદાનંદજી એ ધાર્મિક વકતવ્ય કરી ઉપસ્થિત જનમેદની ને સાંસ્કૃતિક ભાવનાઓથી સાચાં માર્ગ તરફ વળી શકાય એવો એહસાસ કરાવ્યો હતો. ધર્મ એક કલ્પવૃક્ષ છે અને પરમાત્માના રસ્તે ચાલશો તો જ સૌનો કલ્યાણ થશે.. ઉપસ્થિત તમામ ભક્તજનો ને સંતશ્રી એ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, દંડકશ્રી દિપકભાઈ મિસ્ત્રી, પ્રદેશ આમંત્રિત સભ્યશ્રી મણીલાલ પટેલ, ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખશ્રી દિલિપભાઈ ભંડારી, મહામંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ચેતનભાઇ રાઉત, મંત્રી શ્રી સંદિપભાઈ આરેકર, કોષાધ્યક્ષ ડૉ નિરવ શાહ, શ્રી શેખરભાઈ આરેકર તેમજ વલસાડ જિલ્લા પંચાયત સભ્યશ્રી ભરતભાઈ જાદવ, શ્રી જીગ્નેશ મરોલીકર, ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ઉપપ્રમુખ શ્રીમતિ પ્રતિમાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ , વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા નાં પ્રમુખશ્રી નિલેષભાઈ ભંડારી, મંત્રીશ્રી અજયભાઈ ભંડારી, વલસાડ જિલ્લા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પુનાટકર, આદિજાતિ મોરચા પ્રમુખશ્રી ભરતભાઈ વારલી, યુવા મોરચા પ્રમુખશ્રી હસમુખભાઈ માછી, મહામંત્રીશ્રી જયદિપભાઈ પટેલ, અનુસુચિત જાતિ મોરચા પ્રમુખશ્રી હેમંતભાઈ પટેલ, તાલુકા પંચાયત નાં સભ્યશ્રીઓ શ્રી મહેશભાઈ આહીર, શ્રી લીમજીભાઈ ઓ ઝરીયા, શ્રીમતિ હેતલબેન વારલી, શ્રીમતિ નીતાબેનદુબળા, શ્રી મુકેશભાઈ ધોડી, શ્રીમતિ ગીતાબેન વર્ષાબેન ધોડી, માજી મહામંત્રી શ્રી સુભાષભાઈ બારગા, શ્રી પ્રકાશભાઇ પટેલ, શ્રી રામદાસભાઈ વરઠા તથા મોટી સંખ્યામાં કાયઁકતાઁ ઓ ઉપસ્થિત રહ્યા હતા..








