સાયકલ ઉપર નીકળેલા બી. એસ .એફ જવાનું થરા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
કચ્છ થી વાઘા બોર્ડર સુધી
બી.એસ .એફ આર્ચરી ના પચાસ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે કચ્છ સરહદથી સાયકલ ઉપર 40 જવાનો તારીખ 16 મી જુલાઈથી નીકળી ૧૫મી ઓગસ્ટ ના સ્વતંત્ર દિન ના રોજ વાઘા બોર્ડર ઉપર પહોંચવાના છે કચ્છથી વાઘા બોર્ડર સુધીનું 2500 કિલોમીટરનું અંતર કાપી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પાંચ સૂત્રો લોકો સુધી પહોંચાડવાની નેમ સાથે બેટી બચાવો બેટી પઢાવો સ્વચ્છ ભારત મિશન કોવિંડ19 ની જાગૃતિ એક ભારત શ્રેષ્ઠ ભારત મેં ફીટ ઇન્ડિયા ફીટ ના નારા સાથે આજે સવારે જલારામ મંદિર થરા ખાતે આવી પહોંચ્યા હતા જવાનો નુ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ડેપ્યુટી કમાન્ડર રોહિત કુમાર ડેપ્યુટી કમાન્ડર મનીષ સંઘની આગેવાની નીચે તમામ જવાનું જલારામબાપાનો ખેસ પહેરાવી આવકાર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કિર્તીસિંહ વાઘેલા નું મોમેન્ટો આપી જવાનોએ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ આર પટેલ ભારતસિંહ ભટેસરિયા પૃથ્વીરાજસિંહ વાઘેલા ઈશ્વરભાઈ પટેલ અનુભા વાઘેલા ઈસુભા વાઘેલા અચરતભાઈ ઠક્કર અમિભાઈ દેસાઈ ડોક્ટર રાજેશભાઈ બ્રહ્મભટ્ટ કિશોર પ્રજાપતિ વગેરે એ જવાનો ને શુભેચ્છા પાઠવી હતી ધારાસભ્યશ્રી એ જવાનોની રાષ્ટ્રપ્રેમ તેમજ મજબૂત રાષ્ટ્ર માટે જવાનોની કામગીરીને બિરદાવી હતી આ પ્રસંગે રમેશભાઈ જોષી નિરંજનભાઇ ઠક્કર તેમજ મંદિરના પ્રમુખ શ્રી વિજયભાઈ ઠક્કર કપુરજી પરમાર તેજાભાઈ દેસાઈ કનુભાઈ ઠક્કર દશરથ ભાઈ ઠક્કર રાયમલભાઈ પટેલ ગણપતગર ગોસ્વામી ડોક્ટર રાજેશ ભાઈ કોટકઠક્કર જસુ ભાઈ અમરતજી ઠાકોર નટવરભાઈ પ્રજાપતિ તેમજ યુવા કાર્યકર સંપરિયા વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો