
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર પાસે હોટલ એલિન્ટામા ભીષણ આગની હાલારભરમા ચિંતા સાથે ચર્ચા જાગી છે જોકે —સદનસીબે કોઇ જાનહાની નથી છતા રહસ્ય ઘુંટાય છે કેમકે એક્સપર્ટઝ પુછે છે કે સેફટી મેનેજમેન્ટ પ્લાન હતો??? ફાયર સેફટી ઇન્સ્ટોલેશન વીથ ટ્રેનીંગ હતુ ??? તો ઉપયોગ થયો??? લોકોના જીવ તાળવે ચોંડ્યા હતા માટે બેદરકારી કે પછી… બિજુિ તરફ જામનગર પાસે સિક્કાની એક હોટલમા ભીષણ આગ અનેક ઇજાગ્રસ્ત કોઇ મૃત્યુ ન હોવાનુ એડીશનલ કલેક્ટર
મિતેશ પંડ્યા એ જણાવ્યુ છે સિક્કા પાટિયા પાસે આવેલ હોટલ એલિન્ટામાં આજે રાત્રે લગભગ 8.30 pm આગનો બનાવ નોંધાયેલ જેમાં જીએસએફસી રિલાયન્સ તથા દિગ્વિજય સિમેન્ટના ફાયર ફાઈટર સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવેલ જેમાં કોઈ જાનહાની નોંધાયેલ નથી અકસ્માતના કારણે જે લોકોને ઈજા થયેલ છે તેમને જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવાનું ચાલુ છે જામનગર પાસે ના સિક્કા ગામ પાસે હાઇવે ઉપરની હોટલ આગ મા સદનસીબે કોઇ મૃત્યુ ન હોવાનુ કલેક્ટરે જણાવ્યુ હતુ એકા એક રાતે ૮ વાગ્યા બાદ આગ લાગી ત્યારે અંદર ૨૭ લોકો હતા જે બધા જ સુખરૂપ બહાર આવી ગયા હતા તેમજ હોટલનો સ્ટાફ પણ બહાર આવી ગયા હતા બહાર દોડી આવેલમાથી ત્રણ ને શ્ર્વાસમા તકલીફ હતી જેમને
ટ્રીટમેન્ટ થી સારૂ થય ગયુ હતુ ઘટનાની જાણ થતા જામનગર કલેક્ટર સૌરવ પારઘી એસ પી પ્રેમસુખ ડેલુ.સહિત અધીકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને દરમ્યાન અઢી કલાકે આગ કાબુમા આવી છે પરંતુ આગથી ભારે ચિંતા દોડધામ ટ્રાફીક જામ ઉચાટ સર્જાયા હતા તેમજ હોટલનોમોટાભાગનો ઇમલો આગમા બળી ગયો છે જેનુ કારણ જાણવા તપાસ થાય છેતેમજ ફાયર સેફટી ઇન ઓર્ડર હતુ કે કેમ તે તપાસનો વિષય છે