

ધાર્મિક ભટ્ટ અરવલ્લી
આજરોજ કોઈ અગમ્ય કારણોસર અરવલ્લીના મોડાસા શાસ્ત્રી મેદાનના કુવામાં એક ઈસમ પડી ગયો હતો. જેની જાણ મોડાસા ફાયર વિભાગને કરતા મોડાસા ફાયર વિભાગની ટિમ સ્થળ પર પોહચી ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને બચાવી બહાર કાઢી લેવામાં આવેલ છે.
મોડાસા ફાયર વિભાગના ફાયરમેન સુનિલકુમાર માવી દ્વારા ઈસમ ને બચાવામાં સરાહનીય કામગીરી કરેલ છે.
ઘટનાની જાણ કૌશિક ભાઈ દ્વારા ત્વરિત કરવામાં આવતા એક ભાઈ નો જીવ બચાવામાં આવેલ છે.